top of page

લીલા મરચા ખાવાના અનેક લાભ, પેટ અને ચહેરો રહેશે સાફ


સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે તીખા અને મસાલેદાર ખાદ્યપદાર્થ પેટ અને છાતીમાં બળતરાનું કારણ બને છે.લીલા મરચા જમવામાં સ્વાદ વધારે છે તેની સાથે સાથે ઘણા સ્વાસ્થ્ય લાભ વધારે છે. લીલા મરચામાં ઘણા પોષક તત્વો રહેલા છે. જેમ કે વિટામીન ઈ, બી 6, સી,આયરન,કોપર,પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો રહેલા છે. આ ઉપરાંત લીલા મારચામાં બીટા કેરોટીન, લુટેન જેવી સ્વાસ્થ્યવર્ધક વસ્તુ રહેલી છે.


કેન્સરનું જોખમ ઘટાડે છે

લીલા મરચાના સેવનથી ફેફસાના કેન્સરનું જોખમ ઘટી જાય છે.🫁પુરુષોએ ખાસ લીલા મરચાનું સેવન કરવું જોઈએ. તેનાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ટળે છે. એક વૈજ્ઞાનિક શોધમાં સાબિત થયું છે કે લીલા મરચાના સેવનથી પ્રોસ્ટેટની સમસ્યા સંપૂર્ણ રીતે દુર થાય છે.

ત્વચામાં લાવે છે નિખાર

લીલા મરચામાં ઘણા પ્રકારના વિટામિન્સ હોય છે.જે વિટામિન્સ ત્વચાને સુંદર અને યુવાન બનાવી રાકવામાં મદદ કરે છે. જો તમે નિયમિત યોગ્ય માત્રામાં લીલા મરચાનું સેવન કરો છો તો તમારી ત્વચામાં કુદરતી નિખાર આવશે.

દમ તેમજ સાઈનસના દર્દી માટે લાભદાયી

તાજા લીલા મરચાની એક ચમચી રસમાં મધ મિક્સ કરો. પછી તેનું ખાલી પેટ સેવન કરવામાં આવે તો દમના દર્દીઓનો ફાયદો થાય છે. માત્ર 10 દિવસમાં જ ફાયદો જોવા મળશે. આ ઉપરાંત લીલા મરચાનું સેવન કરવાથી ગરમી નીકળે છે. તેથી દુખાવામાં પણ રાહત મળે છે. લીલા મરચામાં કૈપ્સેઇસીન નામનું તત્વ રહેલું છે જે નાકના રક્ત પ્રવાહને સરળ બનાવે. તેથી શરદી અને સાયનસની બીમારીમાં રાહત મળે છે.

મૂડ બુસ્ટર

લીલા મરચા મૂડ બુસ્ટરનું પણ કાર્ય કરે છે. લીલા મરચા મગજમાં એન્ડોર્ફીનનું સંચાર કરે છે. જેનાથી આપણો મૂડ ખુબ જ ખુશ રહે છે. માટે ભોજનમાં લીલા મરચાનો સમાવેશ કરવો જોઈએ. જેનાથી ભોજનમાં સ્વાદ પણ આવે અને સ્વાસ્થ્ય માટે ફાયદામંદ રહે છે.

પેટની સમસ્યા દુર કરે છે

લીલા મરચામાં ભરપુર માત્રામાં ફાયબર હોય છે. લીલા મરચા ખાધેલા ખોરાકને ઝડપથી પચાવે છે. પરિણામે કબજિયાત જેવી સમસ્યા રહેતી નથી. અપચો ગેસ વગેરે સમસ્યા દુર થાય છે. જે લોકોની પાચન શક્તિ નબળી છે, તે લોકોએ પોતાના ભોજનમાં લીલા મરચાનું ખાસ સેવન કરવું જોઈએ.

આયરનની માત્રા વધારે છે

મહિલાઓમાં સામાન્ય રીતે આયરનની કમી જોવા મળતી હોય છે. પરંતુ જે મહિલાઓમાં આયરનની કમી છે. તે રોજે નિયમિત લીલા મરચાનું સેવન કરે તો આયરનની કમી રહેતી નથી. પરંતુ લીલા મરચાને ઠંડી જગ્યાએ રાખવા જોઈએ. કારણ કે ગરમીમાં તેના પોષક તત્વો નષ્ટ થઇ જાય છે.

વજન ઘટાડે છે

વજન ઘટાડવા માટે લીલા મરચા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે લીલા મરચામાં કેલેરી ખુબ જ ઓછી હોય છે. તેથી મરચાનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. અને શરીરની કેલેરી વધતી નથી પરિણામે વજન ઘટે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધે છે

લીલા મરચામાં અમુક માત્રામાં વિટામીન સી હોય છે. જે આપણને રોગો સામે લડવાની શક્તિ આપે છે. અને આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબુત બને છે. તમારું નાક બંધ થઇ જાય છે. ત્યારે તમે લીલા મરચા ખાઈ લો તો તરત જ નાક ખુલી જાય છે.તે રોગ પ્રતિકારક શક્તિ વધવાનું ઉદાહરણ છે.

સંક્રમણથી બચાવે છે

લીલા મરચામાં એન્ટી બેક્ટેરીયલ ગુણ રહેલા છે. જે કોઈ પણ પ્રકારના સંક્રમણથી શરીર અને ત્વચાને બચાવે છે. આ ઉપરાંત ત્વચા માટે લીલા મરચા ઇન્ફ્લેમેટરી મેડિસીન જેવું કામ કરે છે. આર્થરાઈટીશના દર્દીઓ માટે લીલા મરચા ખુબ જ ફાયદાકારક હોય છે. લીલા મરચાનું સેવન શરીરના અંગોમાં થતા દુખાવાને પણ દુર કરે છે.

અન્ય ઉપયોગો

જો કોઇ લીલા મરયા ખાતા હોય તો તે લિંગ કેન્સર ની બીમારીથી બચી શકે છે. જાણવામાં આવ્યું છે કે લીલા મરચાનો ઉપયોગ મગજ માટે ખુબ જ ફાયદાકારક છે. લીલાં મરયા મગજ ને ફ્રેશ રાખે છે તેમજ લીલા મરચા શરીરમાં શુગર અને લોહીને સંતુલિત રાખે છે. ધણા લોકો સવારમાં ભાખરી સાથે લીલા મરચાની ચટણી ખાતા હોય છે અને અમુક લોકો એમજ શેકેલા કે તળેલા મરચા ખાવાના શોખીન હોય છે. શાકભાજીમાં તો લીલા મરચા ખવાતા જ હોય છે પરંતુ ચટણીમાં કે તળીને ખાવાથી પણ એટલો જ ફાયદો થાય છે. એ પણ જાણી લેવું જોઈએ કે લીલા મરચા માં ફાઇબર વિટામીન પણ હોય છે, જે પાચન ક્રિયાને ખુબ જ મજબૂત રાખે છે, જો આવી રીતે જોવામાં આવે તો લીલા મરચા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. લીલા મરચાની વિવિધ વાનગીઓ પારા પૂનાવવામાં આવે છે અને અથાણો પણ બને છે જે આપણા સ્વાસ્થય માટે લાભદાયક હોય છે, ભરેલા મસ્યા, રાઇતા મરચા, વગેરે જેવી વાનગીનો ભોજનમાં સમાવેશ કરવાથી ખુબજ ફાયદો થાય છે.

3 views0 comments
Post: Blog2_Post
bottom of page