top of page

શું તમારામાં છે આ ખાસ 11 ખાસિયત તો ક્યારેય નહિ આવી તમારા પતિ ઉપર આંચ


ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં એવી ઘણી બધી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે માણસના જીવન સાથે સંબંધ ધરાવે છે, દરેક માણસના વ્યક્તિત્વ અને તેના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે, સ્ત્રીઓના સંબંધમાં ઘણી બધી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે.જેમ કે તમે બધા જાણો છો કે હિંદુ ધર્મમાં પતિ પત્નીનો સંબંધ ઘણો જ પવિત્ર માનવામાં આવ્યો છે, તે બંને એક બીજાના એકદમ પુરક હોય છે, અને આપણે પત્ની શબ્દનો અર્થ જોવા જઈએ તો તેનો પતિનું અડધું અંગ એવો થાય છે,


એટલા માટે પત્નીને અર્ધાંગીનીના નામથી પણ ઓળખવામાં આવે છે, એક મહિલા જ આખા ઘરની દેખરેખ રાખે છે અને બધી વસ્તુ વ્યવસ્થિત રીતે જ રાખે છે.જે સ્ત્રી પોતાનાં પરિવારને દરેક પ્રકારની બુરાઈમાંથી બચાવતી હોય અને એક પ્રધાનની જેમ સલાહ આપે છે અને સાથે જ સૌનું ખ્યાલ રાખતી હોય.આપણે ત્યાં કામશાસ્ત્ર અને કામસૂત્ર બે એવા પ્રાચીન ધર્મગ્રંથો છે કે જેમના અંગે લોકો વચ્ચે ખૂબ ગેરસમજ છે. આજે અમે આપની આ જ ગેરસમજ દૂર કરીશું.


પત્નીના ગુણો અને તેના વ્યવહાર વિષે શાસ્ત્રોમાં વિસ્તાર પૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સ્ત્રીના કારણે જ આપણા વંશનો વધારો થાય છે અને સ્ત્રી જ આપણા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ ઉભું કરે છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા ગરુડ પુરાણ મુજબ પત્નીઓના એવા ગુણ બતાવવાના છીએ જો આ ગુણ કોઈ મહિલાની અંદર રહેલા છે તો તેને ઘણી જ ભાગ્યશાળી માનવામાં આવે છે, આ પ્રકારની મહિલા જે ઘરમાં જાય છે તે ઘરની અંદર માતા લક્ષ્મીજીનો વાસ રહે છે. આ પ્રકારની મહિલાઓ કુટુંબ માટે ઘણી જ ભાગ્યશાળી માનવામાં આવે છે.


કામશાસ્ત્ર એક ભારતીય સાહિત્ય છે કે જે કામદેવ અર્થાત્ ઇચ્છાનાં જ્ઞાન સાથે સંબંધિત છે. બીજી બાજુ કામસૂત્ર વ્યાવહારિક અભિવિન્યાસ તેમજ સ્પષ્ટીકરણ સાથે સંબંધિત છે.કામસૂત્રથી વિપરીત, કામશાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્ર, એક વૈદિક પરંપરા છે કે જે એક વ્યક્તિનાં ચહેરા,આભા અને સમગ્ર શરીરનાં વિશ્લેષણનો અભ્યાસ કરે છે. સાથે જ આ જ રીતે તેમના સાથી અને તેમના વ્યક્તિત્વ સાથે એક વ્યક્તિની અનુકૂળતાનાં વિશ્લેષણ અંગે પણ બતાવે છે.


તલ, જન્મનાં નિશાન, પગ મહેરાબ અને લક્ષણો વિશે સામુદ્રિક શાસ્ત્રમાં જણાવાયું છે, પરંતુ કામશાસ્ત્રમાં ઇચ્છા, પ્રેમઅને યૌગ સંગતતા તથા લગ્નની અનુકૂળતાનાં લક્ષણો વિશે જણાવાયું છે.આજે અમે આપને કેટલીક એવી મહિલાઓ વિશે જણાવીશું કે જે કામશાસ્ત્ર મુજબ લગ્ન માટે લાયક કે ગુણી મનાય છે.જાણો શું છે એક સારી મહિલાનાં ગુણો


એક એવી મહિલા કે જે પોતાનાં પતિનાં બરાબરીનાં પરિવારમાંથી આવે છે અને તેનું ઘર ઉચ્ચ હોદ્દા તથા શાલીનતા માટે પ્રસિદ્ધ હોય.

સ્ત્રી કે જે બુદ્ધિશાળી હોય અને સાંસારિક ઘટનાઓ વિશે માહિતી રાખતી હોય. તેનું શિક્ષિત હોવું સમાજ અને તના પરિવારનાં વિકાસને સુનિશ્ચિત કરે છે.


તે સ્ત્રી કે જે પોતાની આજુબાજુનાં માહોલમાં સાવચેત રહેતી હોય અને પોતાનાં કરતા નીચનાં લોકો સાથે તથા ઊપરનાં લોકો સાથે સારી રીતે વ્યવહાર કરતી હોય.

જે સ્ત્રી ધર્મ પ્રત્યે સન્માન અને તમામ રસમો તેમજ સામાજિક કર્તવ્યોનું નિર્વહન સમ્પૂર્ણ નિષ્ઠા સાથે કરતી હોય.

જે સ્ત્રી દેવી લક્ષ્મીની જેમ પૈસા બચાવતી હોય અને પોતાના પરિવારની સહાય કરતી હોય. જેનો અવાજ દેવી સરસ્વતીની જેમ મધુરો હોય અને દેવી પાર્વતીની જેમ પોતાનાં પતિ પ્રત્યે તે સમર્પિત હોય.

જે સ્ત્રી પોતાનાં પરિવારને દરેક પ્રકારની બુરાઈમાંથી બચાવતી હોય અને એક પ્રધાનની જેમ સલાહ આપે છે અને સાથે જ સૌનું ખ્યાલ રાખતી હોય.


જે સ્ત્રીઓનાં ભાઈ-બહેન હોય છે, તેમનાં બહુ ધૈર્યહોય છે. તેઓ બાળકો સાથે સારો વ્યવહાર કરે છે. સાથે જ તેમનામાં સંબંધો પ્રત્યે સન્માન રહે છે.

જે સ્ત્રી પોતાનાં પ્રેમ અને અંગત જીવન વિશે સારી રીતે જાણતી હોય, તે કાયમ જ સન્માનિત કરવામાં આવે છે.


જે સ્ત્રી પોતાના કરતા મોટાઓનું સન્માન કરતી હોય. સાથે જ પોતાનાં કોઈ પણ કામ માટે મોટેરાઓનો અભિપ્રાય લેતી હોય અને તેમના જ્ઞાનને પોતાની અને પરિવારની ભલાઈ માટે ઉપયોગ કરતી હોય.

જે સ્ત્રી સારૂ જમવાનું બનાવી શકતી હોય. સાથે જ તે ક્યારેય કોઈને ભુખ્યા ન રાખતી હોય.

જે સ્ત્રી પોતાનાં પરિવારનાં મુશ્કેલીનાં સમયમાં પોતાનાં પરિવાર સાથે મજબૂતાઈ સાથે ઊભી રહે. સાથે જ પોતાનાં પ્રેમ અને વિશ્વાસથી તેમને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી લે.


મહિલાઓની અંદર ઘરનું સંચાલન કરવાના ગુણ હોવા જોઈએ, કેવી રીતે ઘર ચલાવવું , કેવી રીતે જ બધું જ વ્યવસ્થિત કરવું અને પોતાની જવાબદારીઓ સમજવી આ બધા મહિલાઓના વિશેષ ગુણ માનવામાં આવે છે, જો આ ગુણ કોઈ મહિલામાં છે તો તે ઘરને સ્વર્ગ બનાવી શકે છે, તે ઉપરાંત મહિલાઓને ઘરમાં આવેલા મહેમાનોનું આદર સત્કાર પણ કરતા આવડવું જોઈએ


જે ઘરની મહિલા પોતાના પતિના આદેશનું પાલન કરે છે, તે ઘરમાં હંમેશા આનંદમય વાતાવરણ બની રહે છે. જે મહિલા ઘરની કોઈપણ વ્યક્તિનો આદેશ નથી માનતી અને કુટુંબમાં લોકો સાથે માથાકૂટ કરે છે, તેના કારણે ઘરમાં તકલીફો ઉભી થાય છે, એટલા માટે જે મહિલાઓ માત્ર પોતાના કુટુંબ વિષે વિચારે છે અને પોતાના પતિને પ્રેમ કરે છે તે મહિલા કુટુંબ માટે ઘણી જ શુભ માનવામાં આવે છે.જે મહિલા રોજ નિયમિત રીતે પૂજા પાઠ કરે છે સ્નાન કરીને પછી જ ભોજન બનાવે છે કે પીરસે છે, તેના એ ગુણ તેને ગુણવાન બનાવે છે.

1 view0 comments

Recent Posts

See All

IAS ઓફિસર પાસે સેનિટરી પેડ માંગનાર વિદ્યાર્થિનીને મળી એડની ઓફર

બિહારમાં આઈએએસ ઓફિસર હરજોત કૌર પાસે એક જાહેર કાર્યક્રમમાં સેનિટરી પેડ માંગીને ચર્ચામાં આવેલી રિયા કુમારીને હવે એક સેનિટરી પેડ બનાવતી કંપનીએ જાહેરાતની ઓફર કરી છે. કંપનીએ રિયા જ્યાં સુધી ગ્રેજ્યુએટ ના થ

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, 'પોન્નિયિન સેલ્વન'નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

સાઉથની વધુ એક ફિલ્મ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહી છે. મણિરત્નમની મહત્વાકાંક્ષી તામિલ ફિલ્મ પોન્નિયિન સેલ્વન પાર્ટ 1 થીયેટરોમાં રજૂ થઈ ચુકી છે અને બે જ દિવસમાં ફિલ્મે આખા વિશ્વમાં 150 કરોડ રુપિયાની કમા

Post: Blog2_Post
bottom of page